મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર ગામે માવાના બાકી રૂપિયા માંગવા બાબતે થયેલ હત્યાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની સજા


SHARE











મોરબીના પ્રેમજીનગર ગામે માવાના બાકી રૂપિયા માંગવા બાબતે થયેલ હત્યાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની સજા

મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે દુકાનેથી બાકીમાં માવો લઈ જનાર પાસેથી રૂપિયાની માંગણી કરી હતી જે બાબતને લઈને વર્ષ 2021 માં મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે એક આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે અને 5 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ છે.

આ કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ગત તા 18/11/21 ના રોજ રાતે આરોપી સુરેશ ચુનીલાલા વઘેરા ફરિયાદીના દીકરા ગુલાબભાઈની દુકાને માવો લેવા માટે ગયા હતા અને પૈસા બાકી રાખીને માવો લઈ ગયા હતા જે પૈસાની ગુલાબભાઈએ માંગણી કરતાં સુરેશભાઈએ ગુલાબભાઇ સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યાર બાદ સાહેદ જયેશભાઈ, સુનીલભાઈ તથા ગુલાબભાઈ તેઓના ઘરે સમજાવવા ગયા હતા ત્યારે આરોપીઓએ એકસંપ કરી તલવાર, ધોકા તથા લોખંડના પાઈપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. તે સમયે આરોપી ચુનીલાલે ગુલાબભાઈને તલવારનો માથામાં ઘા માર્યો હતો તેમજ જયેશભાઈ અને સુનીલભાઈને પણ મારમાર્યો હતો. આ મારા મારીમાં ઇજા પામેલા ગુલાબભાઈનું મોત નીપજ્યું હતું. જેથી હત્યાનો તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હતો. તેના આધારે પોલીસે આરોપી મોહનભાઈ સવજીભાઈ વઘેરા (55), હસમુખભાઈ ઉર્ફે હસુ મોહનભાઈ વઘેરા (24), કાંતાબેન ચુનીલાલ વઘેરા (40), ચુનીલાલ કમાભાઈ વઘેરા (45), રાકેશભાઈ ચુનીલાલ વઘેરા (22) અને સુરેશ ચુનીલાલ વઘેરા (20)ની સામે ગુનો નોંધી આ શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ હતી. આ કેસ મોરબીના અધિક સેશન્સ જજ સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશયલ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઇ દવેની દલીલો તેમજ આધાર પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે 5 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા જો કે, આરોપી ચુનીલાલ કમાભાઈ વઘેરાને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. તેમજ આરોપી ચુનીલાલ વઘેરાએ ભરેલ દંડની રકમમાંથી ઈજા પામેલા સાહેદ જયેશભાઈને 25 હજાર, મરણ ગયેલ ગુલાબભાઈ વેલજીભાઈ શેખવાના વારસદારોને 75 હજાર વળતર ચૂકવવા માટેનો હુકમ કરવામાં આવેલ છે.






Latest News