ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ઓનલાઈન પ્રેમ !: મોરબીમાં પતિ-બાળકોને મૂકીને જતી રહેલી પરિણીતાને સાસરિયામાં પરત મોકલાઇ


SHARE











ઓનલાઈન પ્રેમ !: મોરબીમાં પતિ-બાળકોને મૂકીને જતી રહેલી પરિણીતાને સાસરિયામાં પરત મોકલાઇ

હાલમાં ઓનલાઈન પ્રેમ થઈ ગયા પછી ઘણી ચોકાવનારી માહિતીઓ સામે આવતી હોય છે અને ત્યાર બાદ ઘણી વખત માઠા પરિણામો પણ આવતા હોય છે તેવામાં મોરબી ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્રારા યુવતીનુ ઘર બરબાદ થતાં બચાવી લેવામાં આવ્યું છે અને પરિણીત યુવતીને સમજાવીને તેના સાસરિયાંમાં પરત મોકલવામાં આવી છે મોરબી સીટીમાંથી એક વ્યકિત દ્વારા ૧૮૧ પર કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે, છેલ્લા ૪ ક્લાકથી એક યુવતી તેના બાળકને લઈને અહીં આવી ગયેલ છે. અમે ઘણી પૂછપરછ કરી પરન્તુ તે કઈ પણ જણાવવા તૈયાર નથી. આથી અમે આજુબાજુમાં પૂછપરછ કરી તેના પિયર તથા સાસરીયા વાળાને બોલાવ્યા છે. પરંતુ બહેન તેની વાત પણ સાંભળવા તૈયાર નથી અને તેની સાથે પણ જવા તૈયાર નથી જેથી કરીને મોરબી ૧૮૧ ની ટીમના કાઉન્સેલર રસીલાબેન કુંભાણી પોલીસ શારદાબેન તથા પાયલોટ મિતેશ ભાઈ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને પરીવાર તથા પીડિતાનું કાઉન્સેલિંગ કર્યુ હતું

ત્યારે કાઉસેલિંગ કરતા ચોંકાવનારી વાત સામે આવી હતી કેછેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા એક પુરુષના કોન્ટેક્ટમાં પરિણીતા આવી છે અને એક વર્ષથી તેમની સાથે પ્રેમ સંબંધ છે. અને ત્યારબાદ બંન્નેએ ઘર છોડીને ભાગી જવાનું નકકી કર્યું હતું. આથી પીડિતા બહેન કોઈને પણ જાણ કર્યા વિના ઘર છોડીને નીકળી ગયા હતા. જો કેતે પુરૂષ તેની સાથે ન આવતા અને ફોન પર પણ કઈ જ જવાબ ના આપતા બાહેનની પરિસ્થિતિ ખરાબ થઈ હતી.અને હવે શું કરવું કંઈ રસ્તો સૂઝતો ન હતો. જેથી કરીને ૧૮૧ ની ટીમ દ્વારા પીડિતા બેનને સમજાવવામાં આવ્યા હતા કે આમ અજાણ્યાં વ્યક્તિનાં પ્રભાવથી ઘર છોડીને ના નિકળી જવું જોઈએ અને બાળકો તથા પરિવારનું વિચારવુ જોઈએ. તેને પસ્તાવા સાથે કહયું કે તે તેના પતિ તથા બાળકો સાથે પાછા જવા માગે છે. આથી પીડિતાની ઈચ્છા અનુસાર ૧૮૧ ની ટિમ દ્વારા તેના સાસરીયા પક્ષનું કુશળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતું અને સમજાવટ  દ્વારા પીડિતાનો સાસરિયામાં સ્વીકાર કરવામાં આવ્યો હતો અને એક તૂટતાં પરીવારને બચાવી લેવામાં આવ્યો હતો 






Latest News