મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE















મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના નવી પીપળી પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી તેનું મોત નીપજયું હતું અને તેના બોડીને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ પર આવેલ નવી પીપળી ગામ પાસે સીપોન સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ જગન્નાથ યાદવ (20) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રતનસીભાઈ કરમશીભાઈ વીસોડિયા (65) રહે. લક્ષ્મીનગર તાલુકો મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ કરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા દિનેશભાઈ ભીલ (18) નામના યુવાને ગત તા. 19 ના રાત્રીને 8:30 વાગ્યાના અરસામાં વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવાગામ ખાતે રહેતા ખોરાજીત રમેશકુમાર યાદવ (24) નામનો યુવાન બાઇક લઈને નવાગામથી લીલાપતરફ જઈ રહ્યો હતો દરમિયાન તેના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News