મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર દ્વારા ઓપરેશ સિંદૂરની સફળતા બદલ ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર દ્વારા ઓપરેશ સિંદૂરની સફળતા બદલ ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

ભારતનાં પાકિસ્તાન સામે આતંકવાદનાં વિરોધમાં ભારતીય સેનાની ત્રણે પાંખના સૈનિકો દ્વારા જડબાતોડ જવાબ "ઓપરેશન સિંદુર" થી આપવામાં આવેલ છે. જેને બિરદાવવા ભારતભરમાં "તિરંગા યાત્રા" યોજાઇ રહી છે ત્યારે સૈનિકોના સાહસ, શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તીમાં ચાલતાં "ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર કેન્દ્ર" નાં બાળકો દ્વારા ભારતમાતા પુજન, તિરંગા યાત્રા અને બૌદ્ધ નગરમાં આવેલ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અતિથિ વિશેષ તરીકે વિહિપના મોરબી જિલ્લા સહમંત્રી  પુષ્પરાજસિંહ જાડેજા(એડવોકેટ), તથા સેવા વિભાગ શિક્ષા આયામ સંયોજક લલિતભાઈ પાન્ડેજી દ્વારા ભારત માતા પુજન કરી યાત્રાનો નારા સાથે ઉર્જામય વાતાવરણમાં પ્રારંભ કરાવ્યો હતો આ સંસ્કાર કેન્દ્રનાં બાળક જયરાજ વિક્રમભાઈ ટુંડીયા દ્વારા બાબાસાહેબની પ્રતિમાનેં પુષ્પ હાર તથા જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને ભારત માતા પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રનાં વાલી વિક્રમભાઈ ટુંડીયા તથા સંચાલક ગૌરીબેન ટુંડીયા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News