મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ટીમે રાજાશાહી સમયના વિસામો, ચાર મકાન, એક ઓરડી અને બાથરૂમોનું કર્યું ડિમોલેશન


SHARE











મોરબી મહાપાલિકાની ટીમે રાજાશાહી સમયના વિસામો, ચાર મકાન, એક ઓરડી અને બાથરૂમોનું કર્યું ડિમોલેશન ​​​​​​

મોરબીમાં આજે ખાખરેચી દરવાજા પાસે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે પાંચ મકાનો અને એક ઓરડીને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.

દર બુધવારે મોરબીના કોઈ એક વિસ્તારની અંદર મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે વર્ષો જૂના મકાનો હતા તે મકાનમાં રહેતા લોકો પાસે તેના જરૂરી કોઈ કાગળ કે લખાણ હતું નહીં જેથી કરીને મહાનગરપાલિકાની ટીમ દ્વારા ત્યાં રહેતા લોકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને જૂના તેમજ જર્જરિત મકાનો હોવાના કારણે તેને તોડવા માટેની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓને કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા.

આજે પાંચ જેટલા મકાનો, એક ઓરડી તથા બાથરૂમ બનાવવામાં આવ્યા હતા તે તમામે તમામ બાંધકામને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ છે જ્યારે સ્થળ ઉપર રહેતા લોકોના કહેવા મુજબ રાજાશાહી વખતમાં ત્યાં સૂરજ કુંવરબાનો વિસામો હતો અને ત્યાં રહેતા લોકોના દાદા ત્યાં પગી તરીકે રહેતા હતા ત્યારથી તેનો પરિવાર ત્યાં રહે છે જોકે હાલમાં સ્થળ ઉપર હેતા લોકો પાસે તે અંગેનો કોઈપણ પ્રકારનો આધાર પુરાવો ન હોવાના કારણે આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા  તમામ દબાણ તોડી પાડવામાં આવેલ છે.






Latest News