સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં જર્જરિત મકાન તૂટી પડવાથી થનાર નુકશાની માટે માલિક જવાબદાર: મહાપાલિકા


SHARE











મોરબીમાં જર્જરિત મકાન તૂટી પડવાથી થનાર નુકશાની માટે માલિક જવાબદાર: મહાપાલિકા

મોરબી સહિત રાજ્યમાં ચોમાસા દરમ્યાન ઘણી વખત જર્જરિત મકાન કે મિલકત પડે તેવી ઘટનાઓ બનેલ છે ત્યારે આગામી ચોમાસા પહેલા જર્જરિત મકાન તોડી પાડવા માટે આસામીઓને સૂચના અપવામા આવેલ છે અને જો વરસાદને કારણે કોઈ જર્જરિત મકાન તૂટી પડે અને કોઇના પણ માલ સામાનને નુકશાન થશે કે પછી જાનહાની થશે તો તેના માટે મિલકતના માલિક/ કબજેદારની જવાબદારી રહેશે તેવું મહાપાલિકાના સીટી ઈજનેરજણાવ્યું છે.

 મોરબી મહાપાલિકાના સીટી ઈજનેરે જણાવ્યુ હતું કે, મોરબી શહેરી વિસ્તારમાં જે જર્જરિત મિલકતો આવેલ છે અને આગામી સમયમાં ચોમાસા દરમ્યાન અતિભારે વરસાદ પડે ત્યારે જર્જરિત મિલકત કે મકાન તૂટી પડવાથી જાનમાલને નુકશાન ના થાય તે માટે આસામીને મિલકત તાત્કાલિક ઉતારી લેવા માટેની જાહેર નોટીસ આપવામાં આવેલ છે જો કે, જર્જરિત મિલકત ન તોડવામાં આવે અને કોઈ દુઘર્ટના થશે અને તેમાં કોઈપણ વ્યક્તિના જાન માલને કોઈપણ પ્રકારનું નુકશાન થશે તો તેના માટે જે તે મિલકતના આસામીની જ જવાબદારી રહેશે. અને ખાસ કરીને જે મિલકતમાં સરકારી દાવા ચાલતા હોય તેવા કિસ્સામાં કાયદાની જોગવાઈને આધીન અમલવારી કરવાની રહેશે.






Latest News