મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર ૧૫ મેં સુધી પ્રતિબંધ


SHARE











મોરબી જીલ્લામાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર ૧૫ મેં સુધી પ્રતિબંધ

આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી અને બાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ નિર્માણ પામી છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તેવા હેતુથી તા.૯ થી ૧૫ મેં સુધી મોરબી જીલ્લા ખાતે કોઈપણ જાતના ડ્રોનનો ઉપયોગ અને કોઈપણ જાતના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાય તેવું જાહેરનાંમુ પ્રસિદ્ધ કરવા માટે એલઆઈબી. શાખા મોરબીના પીઆઈ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.

જેને પગલે જીલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ મોરબી જીલ્લાના હદ વિસ્તારમાં કોઇપણ જાતના ડ્રોનના ઉપયોગ અને કોઈપણ જાતના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.આજા હેરનામું તા. ૧૫ મેં સુધી અમલમાં રહેશે અને ભંગ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.






Latest News