મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે સગીરા સાથે દુષ્કર્મ, હળવદમાં સગીરાનું અપહરણ


SHARE











મોરબીના ધુળકોટ ગામે સગીરા સાથે દુષ્કર્મ, હળવદમાં સગીરાનું અપહરણ
 
મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવતા ધુળકોટ (આમરણ) ગામે રહીને ખેતમજૂરીનું કામ કરતા આદિવાસી પરિવારની સગીરા સાથે બાજુની વાડીમાં કામ કરતાં શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તે અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.તે રીતે જ હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવતા તે અંગે પણ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
 
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ધુળકોટ (આમરણ) ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા આદિવાસી પરિવારની સગીરવયની દીકરી સાથે ગત તા.૪-૫ ના રોજ બાજુની જ વાડીમાં મજૂરી કામ કરતા કલ્પેશ સુખાભાઈ હાલ રહે.ધુળકોટની સીમ તા.જી.મોરબી વાળા દ્વારા દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું.જેથી કરીને ભોગ બનેલ પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે આ બાબતે ફરિયાદ કરવામાં આવતા તાલુકા પીઆઈ એસ.કે.ચારેલ દ્વારા કલ્પેશ સુખાભાઈ નામના ઇસમની સામે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
 
તે રીતે જ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની ૧૭ વર્ષીય સગીરાને લગ્નની લાલચે ફોસલાવી જવામાં આવેલ હોય આરોપી સામે ભોગ બનનારની માતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચે સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ગત તા.૪-૫ ના રોજ વિશાલભાઈ લોદરીયા રહે.સુખપર તા.હળવ એ અપહરણ કરેલ.આ બનાવ અંગે સગીરાની માતા દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેથી પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા આગળની તપાસ હાથ ધરી હતી.





Latest News