મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ?
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનું એસએસસીમાં ઝળહળતું પરિણામ: 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ


SHARE











મોરબી નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનું એસએસસીમાં ઝળહળતું પરિણામ: 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેરમાં રીઝલ્ટના રાજા તરીકે જાણીતી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા મેળવી છે.

મોરબી નવયુગ વિદ્યાલયના કુલ 275 વિદ્યાર્થીઓએ ધો. 10 ની પરીક્ષા આપેલ હતી જેમાંથી 274 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ 99.64% આવ્યું છે જો વિદ્યાર્થીઓને મેળવેલ પીઆર અને ગ્રેડ ઉપર નજર કરીએ તો 53 વિદ્યાર્થીને A1 ગ્રેડ, 82 વિદ્યાર્થીA2 ગ્રેડ મળે છે. જયારે 17 વિદ્યાર્થીને 99 થી વધુ PR, 61 વિદ્યાર્થીને 95 થી વધુ PR, 99 વિદ્યાર્થીને 90 થી વધુ PR મળ્યા છે આમ બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આ વિદ્યાર્થીઓને ઝળહળતા પરિણામ સુધી પહોચાડવા માટે જહેમત ઉઠાવનારા શિક્ષકો સહિતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 






Latest News