વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ


SHARE











મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ

મોરબીના રવાપર ગામના પૂર્વ મહિલા સરપંચના પતિને દીકરીના લગ્ન સમયે રૂપિયાની જરૂર હતી જેથી તેને હાથ ઉછીના 8 લાખ રૂપિયા લીધા હતા અને ત્યાં બાદ વ્યાજખોરે તેની પાસેથી 8 લાખ રૂપિયાની સામે વ્યાજ અને પેનલ્ટી સાથે 1.35 કરોડ રૂપિયાની માંગણી કરી હતી જેની ફરિયાદ નોંધાયેલ છે જો કે, ખેડૂતને ન્યાય મળે તેના માટે આજે પાટીદાર યુવા સેવા સંઘ ની આગેવાની હેઠળ કલેક્ટર અને એસપીને રજૂઆત કરીને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી.

મોરબી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો, લુખ્ખાઓ અને અસમાજિક તત્વોની સામે કાર્યવાહી બંડ પોકારવામાં આવેલ છે. તેવામાં મોરબી નજીકના રવાપર ગામના પૂર્વ સરપંચના પતિ સંજયભાઈ ધરમશીભાઈ અઘારા (52) વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ છે અને તેમણે પોતાની દીકરીના લગ્ન અને મેડિકલ માટે 8 લાખ રૂપિયા લીધેલ હતા જેની સામે રૂપિયા અપાવનાર રવાપર ગામે રહેતા રમેશભાઈ દેવાભાઈ બોરીચા અને રૂપિયા આપનારા રાજકોટના મોહિતભાઈ રામભાઈ આગરીયાએ 1.35 કરોડ રૂપિયાની માંગણી કરી હતી જેથી કરીને સંજયભાઇએ અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ત્યાર બાદ તેમણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બંને શખ્સોની સામે ફરિયાદ કરેલ છે અને આ આરોપીઓએ તેની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે કાવતરું કર્યું છે જેથી આજે પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઇ પનારાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે જઈને કલેક્ટર કે.બી. ઝવેરી અને એસપી રાહુલ ત્રિપાઠીને આવેદન પત્ર આપીને આરોપીઓને તેના રૂપિયા પાછા આપી દીધા છે તો પણ સંજયભાઇ અઘારા પાસેથી તેની જમીન પચાવી લેવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી આ ખેડૂત પરિવારને ન્યાય અપાવવાની અધિકારી સમક્ષ માંગ કરેલ છે.

વધુમાં મનોજભાઇ પનારાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી શહેર અને તાલુકામાં રહેતા ખેડૂતોને યેનકેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવવામાં આવે છે અને ત્યાર બાદ તેની કિંમતી જમીન પડાવી લેવામાં આવે છે અથવા તો તેઓની જમીનમાં યેનકેન પ્રકારે કેસ કરીને જમીને ગોબરી કરી નાખવામાં આવે છે જેથી જમીનના મૂળ મલીકને ઘણી હેરાનગતિનો સામનો કરવો પાસે છે. માટે આવા તત્વોની સામે કલેક્ટર દ્વારા રેવન્યુ અને પોલીસ વિભાગના અધિકારીઓની ટીમ બનાવીને આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે. 






Latest News