મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો


SHARE















ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો

ટંકારાના મહેન્દ્રપુર ગામે રહેણાંક પ્લોટોમાં થઈને રસ્તો હતો તેવો દાવો કરવામાં આવ્યો હતો જે કેસ ચાલી જતાં વાદી તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હતા અને પ્રતિવાદીના વકીલે કરેલ દલીલ અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને ટંકારાની કોર્ટે વાદીનો દાવો નામંજુર કરેલ છે.

ટંકારા તાલુકાના મહેન્દ્રપુરની ખેતીની જમીનમાં જવા- આવવા માટેનો રસ્તો પ્રતિવાદીના બિનખેતી રહેણાંક પ્લોટોમાં થઈને હતો, તે અંગેનો વાદીએ પ્રતિવાદીઓ વિરુધ્ધ કાયમી મનાઈ હુકમ મેળવવા દાવો દાખલ કરેલ હતો. જે દાવો ટંકારા કોર્ટમાં ચાલી જતા વાદી પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે તેમજ પ્રતિવાદીઓના બિનખેતી પ્લોટીંગમાં કોઈ જ રસ્તો ન હોય, તેવા બચાવ તથા વાદીનો દાવો સી.પી.સી. ઓર્ડર ૭, રૂલ -૧૧ મુજબ ટકવાપાત્ર ન હોય તેવી પ્રતિવાદીના વકીલ અલ્પેશ પી. હાલપરાએ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને સાથે રાખી ધારદાર દલીલ કરી હતી જે દલીલને માન્ય રાખીને ટંકારાના મહે. પ્રિન્સીપાલ સીવીલ જજ સાહેબે વાદીનો દાવો નામંજુર કર્યો છે આ કેસમાં પ્રતિવાદી તરફે મોરબીના યુવા એડવોકેટ અલ્પેશ પી.હાલપરા તથા સુરેશ આર.વાઘાણી રોકાયેલ હતા.






Latest News