મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માંગતી પત્નીને પતિએ માર માર્યો


SHARE















વાંકાનેરના પંચાસિયામાં ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માંગતી પત્નીને પતિએ માર માર્યો

વાંકાનેરના પંચાસિયા ગામે ચમારવાસમાં રહેતી મહિલાએ તેના પતિ પાસે ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માગ્યા હતા ત્યારે તેના પતિ દ્વારા તેને લાકડી વડે હાથે પગે અને કમરના ભાગે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ચમારવાસમાં રહેતા મનીષાબેન દિલીપભાઈ ચૌહાણ (29)હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીએ પોતાના ઘર માટે ચીજ વસ્તુઓ લેવા તેના પતિ પાસે પૈસા માંગ્યા હતા ત્યારે તેના પતિએ ફરિયાદીને લાકડી વડે હાથે પગે અને કમરના ભાગે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સામતાણીની વાડીમાં રહેતા પ્રદીપભાઈ રમેશભાઈ (19) નામનો યુવાન બાઇક લઈને રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન સાથે બાઈક આથડતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના વણકરવાસ વિસ્તારમાં રહેતો મનોજ ચંદુભાઈ જાદવ (19) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા યુવાને ક્યાં કારણોસર દવા પીધી હતી તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે






Latest News