મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માંગતી પત્નીને પતિએ માર માર્યો


SHARE













વાંકાનેરના પંચાસિયામાં ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માંગતી પત્નીને પતિએ માર માર્યો

વાંકાનેરના પંચાસિયા ગામે ચમારવાસમાં રહેતી મહિલાએ તેના પતિ પાસે ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માગ્યા હતા ત્યારે તેના પતિ દ્વારા તેને લાકડી વડે હાથે પગે અને કમરના ભાગે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ચમારવાસમાં રહેતા મનીષાબેન દિલીપભાઈ ચૌહાણ (29)હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીએ પોતાના ઘર માટે ચીજ વસ્તુઓ લેવા તેના પતિ પાસે પૈસા માંગ્યા હતા ત્યારે તેના પતિએ ફરિયાદીને લાકડી વડે હાથે પગે અને કમરના ભાગે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સામતાણીની વાડીમાં રહેતા પ્રદીપભાઈ રમેશભાઈ (19) નામનો યુવાન બાઇક લઈને રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન સાથે બાઈક આથડતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના વણકરવાસ વિસ્તારમાં રહેતો મનોજ ચંદુભાઈ જાદવ (19) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા યુવાને ક્યાં કારણોસર દવા પીધી હતી તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે






Latest News