મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક હોટલ પાસે જમ્યા બાદ ઉભેલા બે વ્યક્તિને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત


SHARE











વાંકાનેર નજીક હોટલ પાસે જમ્યા બાદ ઉભેલા બે વ્યક્તિને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત

વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર આવેલ હોટલ પાસે જમ્યા બાદ બે વ્યક્તિ રોડ પાસે ઉભા હતા દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવેલ કારના ચાલકે તે બંને વ્યક્તિને હડફેટે લેતા એક વ્યક્તિને માથા અને જમણા હાથમાં ઇજા થઈ હતી જ્યારે બીજા વ્યક્તિને ડાબા પગના સાથળમાં તથા કાંડાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના ગોલીયાર ગામે રહેતા નૂરાખાન સફૂરખાન કુંભાર (25) એ કાર નંબર જીજે 36 એલ 9229 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર આવેલ વતન હોટલ પાસે ફરિયાદી તથા સિકંદરખાન અબ્બાસખાન જમ્યા પછી બહાર રોડના ભાગે ઉભા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી કાર ચાલક પોતાની કાર લઈને આવ્યો હતો અને તેણે ફરિયાદી તથા મરણ જનારને હડફેટે લેતા ફરીયાદીને માથા અને જમણા હાથમાં ઇજા થઈ હતી જ્યારે મરણ જનાર સિકંદરખાનને ડાબા પગના સાથળ અને કાંડાના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક ચોરી

મોરબીમાં ઋષિકેશ સ્કુલની સામેના ભાગમાં આવેલ કમલા પાર્ક વિસ્તારમાં રહેતા વનરાજભાઈ નાનુભાઈ વાઢેર (26) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે મોરબીમાં પાડાપુલ નીચે સ્વામીનારાયણ મંદિર તરફ જતા રસ્તે તેણે પોતાનું બાઈક નંબર જીજે 1 જેડબલ્યુ 6413 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News