મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધ અને ભરતનગર નજીક આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE











મોરબીમાં વૃદ્ધ અને ભરતનગર નજીક આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબીના આલાપ રોડે આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા જો કે, હાર્ટ એટેકથી તેમનું મોત નીપજયું હતું આવી જ રીતે ભરતનગર પાસે નીલકંઠ પેટ્રોલ પંપ સામે વાહન પાર્કિંગમાં રાતે સૂતેલા રાજસ્થાની આધેડનું નિંદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત નીપજયું છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ વિજયનગર-2 માં રહેતા કેશવજીભાઈ પરસોતમભાઈ પાડલીયા (68) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની શ્યામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં ડોક્ટરને તેઓને જોઈ તપાસીને હાર્ટ એટેકથી મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગેની મૃતક વૃદ્ધના દીકરા હિરેનભાઈ કેશવજીભાઈ પાડલીયા (40) રહે. આલાપ રોડ વિજયનગર સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આવી જ રીતે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે નીલકંઠ પેટ્રોલ પંપ સામે વાહન પાર્કિંગમાં રાજસ્થાનના અલવર જિલ્લાના પ્રતાપગઢ તાલુકાના રહેવાસી રામખિલાડી રામપાલ મીણા (50) નામના આધેડ રાત્રી દરમિયાન સૂતા હતા ત્યારબાદ ઉઠ્યા ન હતા અનેટેનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રામકિશોર રામપાલ મીણા (47) રહે. હાલ જનકપુરી સોસાયટી સામાકાંઠે મોરબી મૂળ રહે રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News