મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધ અને ભરતનગર નજીક આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE













મોરબીમાં વૃદ્ધ અને ભરતનગર નજીક આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબીના આલાપ રોડે આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા જો કે, હાર્ટ એટેકથી તેમનું મોત નીપજયું હતું આવી જ રીતે ભરતનગર પાસે નીલકંઠ પેટ્રોલ પંપ સામે વાહન પાર્કિંગમાં રાતે સૂતેલા રાજસ્થાની આધેડનું નિંદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત નીપજયું છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ વિજયનગર-2 માં રહેતા કેશવજીભાઈ પરસોતમભાઈ પાડલીયા (68) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની શ્યામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં ડોક્ટરને તેઓને જોઈ તપાસીને હાર્ટ એટેકથી મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગેની મૃતક વૃદ્ધના દીકરા હિરેનભાઈ કેશવજીભાઈ પાડલીયા (40) રહે. આલાપ રોડ વિજયનગર સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આવી જ રીતે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે નીલકંઠ પેટ્રોલ પંપ સામે વાહન પાર્કિંગમાં રાજસ્થાનના અલવર જિલ્લાના પ્રતાપગઢ તાલુકાના રહેવાસી રામખિલાડી રામપાલ મીણા (50) નામના આધેડ રાત્રી દરમિયાન સૂતા હતા ત્યારબાદ ઉઠ્યા ન હતા અનેટેનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રામકિશોર રામપાલ મીણા (47) રહે. હાલ જનકપુરી સોસાયટી સામાકાંઠે મોરબી મૂળ રહે રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News