વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા હુમલાના દિવંગતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ


SHARE











મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા હુમલાના દિવંગતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા જમ્મુ કશ્મીર ખાતે પહેલગામમાં કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં આશરે 26 જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા. તેમના દુઃખમાં ભાગીદાર થવા માટે મોરબી શહેરમા આવેલ સૈફી મસ્જીદ  ખાતે આજે મોરબીના આમિલ સાહેબના નૈતૃતવમાં મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. અને દુઆઓ સાથે મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તદુપરાંત મૃતકોના સન્માનમાં બે મિનિટ મૌન પાળ્યું હતું. દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વ્હોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડી માં ઇશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરવા માં આવી હતી. આ અંગે નું આયોજન મોરબી અનજુમને સૈફી જમાઅત કમિટી દ્વારા કરવામાં આવેલ હતું






Latest News