મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

આતંકવાદી હુમલાને લઈને મોરબીના વેપારીઓમાં આક્રોશ: કાલે બંધનું એલાન


SHARE











જમ્મુના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈને મોરબીના વેપારીઓમાં આક્રોશ જોવી મળી રહ્યો છે અને મોરબીના વિવિધ વેપારી મંડળો દ્વારા આવતીકાલે બંધનું એલાન કરવામાં આવ્યુ છે અને કાલે મોરબીમાં રેલી યોજાશે અને આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવશે. ત્યારે મોરબીની મુખ્ય બજારો રહેશે બંધ

જમ્મુના પહેલગામમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઈને દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે મોરબી ખાદ્ય તેલ વેપારી એસો, ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો, મોરબી પ્લાસ્ટીક એસો, મોરબી ફટાકડા એસો, મોરબી કાપડ મહાજન એન્ડ રેડીમેઇડ ગાર્મેન્ટ,મોરબી કરીયાણા મર્ચન્ટ એસો સહિતના વિવિધ વેપારી એસોસિયેશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સવારથી બપોરના 2:00 વાગ્યા સુધી મોરબી શહેરમાં આવેલ મુખ્ય બજારની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળની આગેવાની હેઠળ આવતીકાલે સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે અને તે રેલીને મોરબીના નેહરુ ગેટ ચોકમાં પુરી કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવશે તેમાં મોરબીના વેપારીઓ ઉપરાંત નગરજનો સહિતના લોકો જોડાશે. અત્રે ઉલ્લેખીએ છે કે જમ્મુના પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો ત્યાં હુમલો કરવા માટે થઈને આવેલા આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓનો ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવતા હિન્દુ વેપારીઓમાં ભારોભાર આક્રોશની લાગણી ફેલાયેલ છે એટલા જ માટે કાલે તા 25 ના રોજ સવારે 9:30 થી 2:00 વાગ્યા સુધી મોરબીની મુખ્ય બજારો બંધ રહેશે તેવુ વેપારીઓએ જણાવ્યુ છે.






Latest News