મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા-યુવા મહિલા સંમેલનનું આયોજન


SHARE











મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા-યુવા મહિલા સંમેલનનું આયોજન

મોરબીના આગામી મંગળ અને બુધવારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા-યુવા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી- હરિયાણાના અંજલિબેન આર્ય સચોટ માર્ગદર્શન આપશે.

આ અંગે આયોજકોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, તા. 22 અને 23 ના રોજ મોરબી ખાતે નારી પ્રશિક્ષણ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને નારી શ્રેષ્ઠ શા માટે?, નારી શક્તિ શું કરી શકે?, નારીનું આ સમાજ અને રાષ્ટ્ર માટે શું યોગદાન છે ? તે વિષય ઉપર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમ મોરબીના રવાપર રોડે આવેલ સાધના કોમ્પ્લેક્સમાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટરના હોલ ખાતે સાંજે 4 થી 6 દરમિયાન યોજાશે. જેમાં તા 22 ના રોજ મહિલા અને 23 ના રોજ યુવા મહિલા સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે અને નારી પ્રશિક્ષણ સત્રમાં મહિલાઓને ઉપસ્થિત રહેવા આયોજકે આમંત્રણ આપ્યું છે અને વધુ માહિતી માટે ધરતીબેન બરાસરા (9825941704)નો સંપર્ક કરવા જણાવ્યું છે.






Latest News