મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હીટ વેવને પગલે 25 બેડની વ્યવસ્થા કરાઈ: 25 એમ્બુલન્સ લૂ લાગવાના કેસમાં તાત્કાલિક સારવાર માટે સજ્જ


SHARE











મોરબી જીલ્લામાં હીટ વેવને પગલે 25 બેડની વ્યવસ્થા કરાઈ: 25 એમ્બુલન્સ લૂ લાગવાના કેસમાં તાત્કાલિક સારવાર માટે સજ્જ

વધારે પડતી ગરમી અને હવામાન વિભાગની હીટ વેવની આગાહીને આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર તરફથી લુ લાગવાના કેસો માટે જિલ્લા હોસ્પિટલ મોરબી તેમજ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ વાંકાનેર અને હળવદ ખાતે અલગ 5-5 બેડ ની વ્યવસ્થા તેમજ 5 સામુહિક આરોગ્ય કેંન્દ્રો ખાતે 2 બેડ એમ કુલ 25 બેડની વ્યવસ્થા કરેલ છે.

મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક) કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે. અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે. પરંતુ બહારનું તાપમાન ખુબજ ઊંચું હોય ત્યારે પરસેવાથી શરીરનું તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી.

લુ લાગવાના લક્ષણોની વાત કરીએ તો, શરીર અને હાથ પગ દુઃખવા,માથું દુઃખાવુ,  શરીર નું તાપમાન વધી જવું, ખુબજ તરસ લાગવી, ગભરામણ થવી.શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી,ઉબકા આવવા,ચક્કર આવવા, આંખે અંધારા આવવા,બેભાન થઇ જવું, અતિ ગંભીર કિસ્સમાં ખેંચ આવવી જેવા લક્ષણો છે. જેથી લુ લાગવાથી બચવા માટે ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું, દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી-શરબત કે ઓ.આર.એસ. વગેરે પીવા સહિતના પગલાં લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.

કોઈપણ વ્યક્તિને માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના પીએચસી કે હોસ્પિટલનો સંપર્ક કરવા અને મોરબી જિલ્લામાં આવેલ 25 એમ્બુલન્સીસમાં લુ લાગવાના કેસોમા સારવાર થઇ શકે તે માટે આઇસપેક, આઇસબોક્સ, કોલ્ડ ટુવાલ, બિપી ઇન્સ્ટ્રુમેન્ટ, થર્મોમિટર, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમિટર, આઇ.વી. ઇન્ફ્યુજન ની વ્યવ્સ્થા કરવામાં આવી છે. તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવે જણાવ્યુ છે.






Latest News