મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા રામ નવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા


SHARE













મોરબીમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા રામ નવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા

મોરબીમાં દર વર્ષે રામનવમી નિમિતે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વ સનાતન હિન્દુ સમાજ દ્વારા યોજવામાં આવેલ શોભાયાત્રામાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા શોભાયાત્રામાં હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનો રથ, રામ જન્મભૂમિમાં બનાવવામાં આવેલ રમા મંદિરની પ્રતિકૃતિ તેમજ વિવિધ ફ્લોટ્સ  રાખવામા આવ્યા હતા અને આ શોભાયાત્રા જય શ્રી રામના નારા સાથે મોરબીના સામાકાંઠ આવેલ સર્કિટ હાઉસ પાસેથી શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલ, પાડાપુલ, વીસી ફાટક, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, નવડેલા રોડ, જૂના બસ સ્ટેશન, સાવસર પ્લોટ, શનાળા રોડ, બાપા સીતારામ ચોક, ચકીય હનુમાન, હોસ્પિટલ ચોક, નહેરૂ ગેઇટ ચોક, ગ્રીન ચોક અને દરબાર ગઢ પાસે આવેલ રામ મહેલ મંદિરે ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જો કે, મોરબીના દરેક રોડ અને ચોકમાં શોભાયાત્રાનું દરેક જ્ઞાતિ સમાજના લોકો, આગેવાનો વેપારીઓ સહિતનાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું ત્યાં મહાઆરતી સર્વે સનાતન હિંદુ સમાજ દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર બાદ મહાપ્રસાદનું કંસારા સમાજ દ્વારા આયોજન કરાયું હતું અને આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે કમલેશભાઈ બોરીચા, ભાગીરથસિંહ રાઠોડ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

 

મિશન નવ ભારત

મોરબીમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મિશન નવ ભારત મોરબી જિલ્લા સંગઠન અને યુવા ટીમ દ્વારા શોભાયાત્રાનું કેસર બાગ પાસે અદકેરું સ્વાગત કરાયું હતું અને ભગવાન શ્રીરામના જીવન મૂલ્યો અને આદર્શો જન જન સુધી પહોંચે અને એના વિચારોનું અનુકરણ કરે તે માટેનો સંકલ્પ કર્યો હતો






Latest News