મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રામેશ્વર બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કર્યું


SHARE







વાંકાનેરના નવાપરામાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રામેશ્વર બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કર્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રેરિત સેવાભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા મોરબી જિલ્લાના તેરમાં બાલ સંસ્કાર કેન્દ્રનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવેલ છે અને તા તા.૨૭/૩/૨૦૨૫ ના રોજ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રામેશ્વર બાલ સંસ્કાર કેન્દ્રના નામથી દિવ્ય અને મંગલમય વાતાવરણમાં બાલ કેન્દ્ર શરૂ થયું છે આ સંસ્કાર દ્વારા માનવીય અભિગમનો વિકાસ  થાય તે વિશે જોગજતિ ઉપનગર વાંકાનેરના ધ્રુવગીરી ગોસ્વામીએ સરસ વાત કરી હતી અને વાંકાનેર પાલિકાના કાઉન્સિલર સંજયભાઈ જાડા, હરજીભાઈ કેરાલીયા તથા તેમની ટીમના સાથ, સહકારથી સમાજની વાડીમાં આ બાલ સંસ્કાર કેન્દ્ર માટે જગ્યા ફાળવવામાં આવી જેનો લાભ સમગ્ર સમાજના બાળકોને મળશે. આ તકે લાલજીભાઈ કુનપરા, સતિષભાઈ પટેલ, સુંદરજીભાઈ નાવાણી, અનિલભાઈ કુણપરા, મણીભાઈ પટેલ, મધુસૂદન દુબે તથા  સ્થાનિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News