મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મીત્ર સાથે છેતરપીંડીના ગુનામાં બે આરોપીને નિર્દોષ છોડવા કોર્ટનો હુકમ


SHARE











મોરબીમાં મીત્ર સાથે છેતરપીંડીના ગુનામાં બે આરોપીને નિર્દોષ છોડવા કોર્ટનો હુકમ

મોરબીની કોર્ટમાં મિત્ર સાથે છેતરપિંડીનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલો અને રજૂ કરેલા પુરાવા તેમજ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડવા માટેનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી સદામ હબીબભાઈ મોવર અને લલીતભાઈ નારાયણભાઈ રાઠોડે તેના મીત્ર સાથે છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ હતી જેથી કરીને આરોપી સદામ હબીબભાઈ મોવર અને લલીતભાઈ નારાયણભાઈ રાઠોડ વિરુધ્ધ મોરબીની ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ મોરબી ચીફ કોર્ટમાં કેસ ચાલી જતાં આ ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડવા માટેનો કોર્ટે હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી સદામ હબીબભાઈ મોવર તરફે મોરબીના યુવા વકીલ સુરેશ આર.વાધાણી અને મીતરાજસિંહ જાડેજા તથા આરોપી લલીતભાઈ નારાયણભાઈ રાઠોડ તરફે યુવા વકીલ આશિષ ડી.ચાવડા રોકાયેલ હતાં. અને બંન્ને આરોપીઓના વકીલો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતાં મોરબીની ચીફ કોર્ટ દ્રારા આરોપીને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે મોરબીના વકીલ આશિષ ડી.ચાવડા, મીતરાજસિંહ કે જાડેજા, સુરેશ આર.વાધાણી તથા બી.સી.વૈષ્નાણી રોકાયેલ હતાં.






Latest News