મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક-જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી : હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક-જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા પ્રભારી રઘુ શર્માની સૂચના અનુસાર મોરબી જિલ્લાના હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક તથા જનજાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આવનારા દિવસોમાં રાજ્યની અને કેન્દ્રની ભ્રષ્ટ ભાજપા સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી છે જેની સામે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા અવાજ ઉઠાવીને લોકોને જાગૃત કરવાનું કામ કરશે.કાર્યક્રમ દરમ્યાનમાં ખેડૂત આંદોલનમાં શહીદ થયેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા કાર્યક્રમના અંતે શહેરના સરા નાકા પાસે સરકાર દ્વારા ત્રણ કાળા કૃષી કાયદા રદ કરવામાં આવ્યા તેની ખુશાલીમાં ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી.

તેમજ સર્વાનુમતે છ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.જેમા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોને પોતાની જણસોનો પુરતો ભાવ આપવામાં આવે, હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ગામડાઓમાં ખરાબ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે, તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવામાં આવે અને આરોગ્ય સુવિધા વધારવામાં આવે, ઉનાળામાં થયેલ કમોસમી વરસાદના લીધે મીઠું પકવતા અગરીયાઓને થયેલ નુકશાનની તાત્કાલિક સહાય ચુકવવામાં આવે, કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય ચુકવવામાં આવે અને કથડતા શિક્ષણનું સ્તર સુધારવામાં આવે અને ખાનગીકરણ ઉપર અંકુશ લગાવવામાં આવે તેવા લોકહીતના ઠરાવો કરવામાં આવ્યા હતા.






Latest News