ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં યોજાયેલ લોક અદાલતોમાં ૫૩૦૮ કેસનો નિકાલ કરાયો


SHARE











મોરબી જીલ્લામાં યોજાયેલ લોક અદાલતોમાં ૫૩૦૮ કેસનો નિકાલ કરાયો

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી.પી.મહીડા તથા સચિવ ડી.એ. પારેખના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ન્યાયાલય તથા તાબા હેઠળ આવેલ વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા (મી.) ખાતે લોક અદાલત યોજાઇ હતી. જેમાં કુલ મળીને ૫૩૦૮ કેસનો નિકાલ કરવામાં આવેલ છે.

લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલ કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આર કેસો, હિંદુ લગ્નધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફિક ઈ ચલણને લગતા પ્રી-લીટીગેશનના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેંકના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો, મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા

લોક અદાલતમાં પેન્ડીંગ કેસોમાંથી કુલ ૫૯૮૭ કેસોમાંથી ૩૨૫૬ કેસોનો નિકાલ થયેલ છે. જેથી કરીને ૧૦ કરોડની રકમનું સમાધાન થયેલ છે, જીલ્લાના કુલ ૪૭૫૨ પ્રી-લીટીગેશનના કેસોમાંથી ૧૧૯૧ કેસોમાં ૧. ૧૪ કરોડની રકમનું સમાધાન થયું હતું તેમજ ઈ ચલણના કુલ ૮૬૧ કેસો પુરા થતા આશરે ૫ લાખ જેટલી વસુલાત કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના રાજવી પરિવાર રણજીતસિંહ તથા સ્વ. દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાના વારસદારો વચ્ચે આશરે ૧૭ વર્ષ જુના સ્થાવર તથા જંગમ મિલકતના વિખવાદને લગતા દીવાની તકરારનો રાજવી પરિવારના સભ્યો વચ્ચે તેઓના વિદ્વાન વકીલના સહયોગથી સુખદ સમાધાન થતા રાજવી પરિવાર દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.






Latest News