મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છર મારવાનું લીકવીડ પી લેતા પરિણીતા સારવારમાં


SHARE











મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છર મારવાનું લીકવીડ પી લેતા પરિણીતા સારવારમાં

મોરબી નજીકના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામે રહેતી પરિણીતાએ મચ્છર મારવાનું લીકવીડ પી લીધું હતું જેથી કરીને તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને બાદમાં પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે બીમારી સબબ કંટાળીને તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..!

મોરબી તાલુકા પોલીસ મથકના તપાસ અધિકારી જે.પી. કણસાગરાના જણાવ્યા પ્રમાણે, કીરણબેન સંજયભાઇ અખીયાણી (ઉ.વ.૩૦) રહે.પીપડી તા.જી.મોરબીએ પોતાના ઘરે મચ્છર મારવા માટે વપરાતુ લીકવીડ પી લેતા મોરબીની મંગલમ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.તેમનો લગ્નગાળો ૬ વર્ષનો છે.અને સંતાનમા એક દીકરો તથા એક દીકરી છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેઓ બિમાર રહેતા હોય અને બિમારી સબબ કિરણબેન અખીયાણીએ ઉપરોકત પગલું ભરી લીધું હોવાનું ખુલેલ છે.

યુવતી સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર શેરી નંબર-૩ માં રહેતી વૈદેહીબેન સંજયભાઈ કલોલા જાતે વાણંદ નામની ૧૮ વર્ષીય યુવતીએ ટાઇલ્સ ક્લીનર પી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે તપાસ કરતાં ખુલ્યુ હતું કે આગામી સમયમાં ધોરણ ૧૨ કોમર્સની પ્રિલી પરીક્ષા આવતી હોય અને તેના ટેન્શનમાં વૈદેહીબેને ઉપરોકત પગલું ભરી લીધું હતું..! જ્યારે ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતો હિતેશભાઈ રામજીભાઈ ધાણુ નામનો ૩૦ વર્ષનો યુવાન ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યો હતો ત્યારે તેને ઝેરી અસર થતાં તેને મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News