મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના પાંચેય તાલુકામાં પડેલ માવઠાના લીધે થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર માટે ખેડુતોની માંગ


SHARE











મોરબીના પાંચેય તાલુકામાં પડેલ માવઠાના લીધે થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર માટે ખેડુતોની માંગ

મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદના પાણી વહી ગયા હતા જેથી કરીને લોકો મુઝવણમાં મુકાયા હતા આટલું જ નહીં પરંતુ ખેડૂતના ખેતરમાં કપાસ-મગફળી સહિતના જે પાક તૈયાર હતા તેના ઉપર આ કમોસમી વરસાદનું પાણી પડવાના લીધે મોરબી જીલ્લાના માળીયા તાલુકાના ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો જૂટવાઇ જાય તેવી પરિસ્થિતી ઊભી થયેલ છે.

મોરબી જિલ્લાના મોરબીમાળીયાટંકારા, હળવદ અને વાંકાનેરમા છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો જેથી કરીને માળીયા, વાંકાનેર સહિતના વિસ્તારના ખેડૂતોના પાકને નુકશાન થયું હતું સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો અને સવારે આઠેક વાગ્યાના અરસામાં મોરબી શહેર અને તાલુકાનાં જુદાજુદા વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો અને ચોમાસામાં હોય તેવો વરસાદ હાલમાં શિયાળામાં પડી ગયો હતો જેથી લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા અને છેલ્લા બે દિવસોથી મોરબી જિલ્લાના માળીયા તાલુકાના બોડકી, ઝીંઝુડાનાગડાવાસ, સરવડભાવપરમોટા-નાના ભેલા, તરઘરી અને જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને નુકશાની થયેલ છે અને હાલમાં પણ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ઉઘાડ છે જો કે, બે દિવસમાં પડેલા વરસાદના લીધે માળીયાના તરઘરી સહિતના ગામમાં ખેડૂતો દ્વારા કપાસ-મગફળી-એરંડા સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું તેના ઉપર કમોસમી વરસાદનું પાણી પડવાના કારણે આ લોકોના મોંઢા સુધી આવેલો કોળીયો છીનવાઇ જશે ત્યારે સરકાર તરફથી તેઓને થયેલ નુકશાનનું વળતર આપવામાં આવે તેવી માગણી લાગણી અને ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News