સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના પાંચેય તાલુકામાં પડેલ માવઠાના લીધે થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર માટે ખેડુતોની માંગ


SHARE











મોરબીના પાંચેય તાલુકામાં પડેલ માવઠાના લીધે થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર માટે ખેડુતોની માંગ

મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદના પાણી વહી ગયા હતા જેથી કરીને લોકો મુઝવણમાં મુકાયા હતા આટલું જ નહીં પરંતુ ખેડૂતના ખેતરમાં કપાસ-મગફળી સહિતના જે પાક તૈયાર હતા તેના ઉપર આ કમોસમી વરસાદનું પાણી પડવાના લીધે મોરબી જીલ્લાના માળીયા તાલુકાના ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો જૂટવાઇ જાય તેવી પરિસ્થિતી ઊભી થયેલ છે.

મોરબી જિલ્લાના મોરબીમાળીયાટંકારા, હળવદ અને વાંકાનેરમા છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો જેથી કરીને માળીયા, વાંકાનેર સહિતના વિસ્તારના ખેડૂતોના પાકને નુકશાન થયું હતું સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો અને સવારે આઠેક વાગ્યાના અરસામાં મોરબી શહેર અને તાલુકાનાં જુદાજુદા વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો અને ચોમાસામાં હોય તેવો વરસાદ હાલમાં શિયાળામાં પડી ગયો હતો જેથી લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા અને છેલ્લા બે દિવસોથી મોરબી જિલ્લાના માળીયા તાલુકાના બોડકી, ઝીંઝુડાનાગડાવાસ, સરવડભાવપરમોટા-નાના ભેલા, તરઘરી અને જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને નુકશાની થયેલ છે અને હાલમાં પણ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ઉઘાડ છે જો કે, બે દિવસમાં પડેલા વરસાદના લીધે માળીયાના તરઘરી સહિતના ગામમાં ખેડૂતો દ્વારા કપાસ-મગફળી-એરંડા સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું તેના ઉપર કમોસમી વરસાદનું પાણી પડવાના કારણે આ લોકોના મોંઢા સુધી આવેલો કોળીયો છીનવાઇ જશે ત્યારે સરકાર તરફથી તેઓને થયેલ નુકશાનનું વળતર આપવામાં આવે તેવી માગણી લાગણી અને ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News