મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદમાં ઝૂંપડપટ્ટીનું ડીમોલેશન રોકવા મામલતદારને રજૂઆત


SHARE







હળવદમાં ઝૂંપડપટ્ટીનું ડીમોલેશન રોકવા મામલતદારને રજૂઆત

હળવદમાં આવેલ સામતસર તળાવના પાસે 100 જેટલા દેવીપૂજક સમાજના લોકો ઝૂંપડામાં વસવાટ કરી રહ્યા છે. તેના ઝૂંપડાં ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી કરીને સમસ્ત દેવીપૂજક સમાજ સામતસર તળાવના કાંઠા નામના સંગઠન દ્વારા મામલતદારને આવેદન પત્ર આપીને આ કાર્યવાહી રોકવામાં આવે તેવી રજુઆત કરી છે. વધુમાં આ રજૂઆતમાં જણાવ્યુ છે કે, તેઓ ઘણા વર્ષોથી ત્યાં ઝુંપડાઓ બાંધીને રહે છે અને છૂટક ફેરી તેમજ મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેવામાં ગાતા તા. 3 ના રોજ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઝુંપડાઓ ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. જેમાં તેમના રોજી-રોટીના સાધન સામગ્રી તેમજ માલ સમાન સહિત બાઇકને નુકસાન થયેલ છે અને ગરીબોને આર્થિક તેમજ માનસિક નુકસાન પહોંચાડેલ છે. જેથી તેઓની રજૂઆતને ધ્યાને લઈને બુલડોઝરની કાર્યવાહી તાત્કાલીક રોકવા માંગ કરી છે.






Latest News