મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી બે ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની કરી ધરપકડ


SHARE













વાંકાનેરમાંથી બે ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની કરી ધરપકડ

વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટર પાસેથી ચોરી કરેલા ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બાઇક ચોરીના બે અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરીને પોલીસે મુદામાલને પણ કબજે કરેલ છે

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એ.જાડેજા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફના માણસો ચોરીના ગુના ડીટેકટ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા અને જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે ખાતે અસરકાર વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન મોરબી તરફથી એક બાઇક આવી રહ્યુ હતુ તે બાઇકને રોકીને પોલીસે આવતા બાઇક લઇને જતા શખ્સ પાસે બાઇકના કાગળો માંગ્યા હતા ત્યારે તે ગલ્લા-તલ્લા કરતા બાઇક ચાલકની સધન પુછપરછ કરતા વાંકાનેર જયોતિ સેનેટરીમાથી બાઇકની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી તેમજ અન્ય એક બાઇક વાંકાનેર સોમાણી સેનેટરીમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ૧.૩૫ લાખની કિંમતના બે ચોરાઉ બાઇકનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાકેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ કામડીયા (૨૧) હાલ રહે. મોરબી લીલાપર ચોકડી પાસે ઝુપડામા મોરબી મુળ રહે. અંજાર સરકારી દવાખાના પાછળ હનુમાન ટેકરી જીલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ.જાડેજાની સુચના મુજબ ધર્મેન્દ્રકુમાર અંબારામભાઇ, યશપાલસિંહ ભવાનસિંહ, વનરાજસિંહ અભેસિંહ, બળદેવસિંહ મહાવીરસિંહ, વિરેન્દ્રસિંહ હરભમજી, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ, રાણીંગભાઇ નાજભાઇ, ભરતભાઇ વાલજીભાઇ તથા હિતેન્દ્રસિંહ મનુભા દ્વારા કરવામાં આવી હતી.






Latest News