મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શિવરાત્રીના દિવસે શિવા મંદિરોમાં શિવભક્તોનો મેળો જોવા મળ્યો


SHARE













મોરબી જિલ્લામાં શિવરાત્રીના દિવસે શિવા મંદિરોમાં શિવભક્તોનો મેળો જોવા મળ્યો

મોરબી જીલ્લામાં આવેલા શિવા મંદિરોમાં ગઇકાલે શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને શિવરાત્રી દિવસે બમબમ ભોલેના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તોએ શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરીને ધન્યતા અનુભવી હતી.

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ, વાંકાનેરની રતન ટેકરી ઉપર બિરાજતા જડેશ્વર મહાદેવરફાળેશ્વર મહાદેવશોભેશ્વર મહાદેવકુબેરનાથ મહાદેવભીમનાથ મહાદેવનીલકંઠ મહાદેવબિલેશ્વર મહાદેવ સહિતના જુદાજુદા શિવ મંદિરોમાં ગઇકાલે વહેલી સવારથી જ શિવજીનું પૂજા-અર્ચના ભક્તો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરવા માટેની વ્યવસ્થા સ્થાનિક વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવી હતી ગઇકાલે શિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને શિવ ભક્તોએ શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જુદાજુદા શિવ મંદિરોમાં ભંગ અને ફરાળ સહિતના પ્રસાદની વ્યવસ્થા પણ ભક્તો માટે કરવામાં આવી હતી. ખાસ કરીને શિવરાત્રીના દિવસે શિવજીના દર્શન અને પૂજનનું વિષેશ મહત્વ હોય ભક્તોએ ભાવ સાથે મહાદેવજીનું પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.






Latest News