મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બ્રહ્માકુમારી દ્વારા શિવરાત્રી નિમિતે બર્ફાની બાબાનું આયોજન કરાયું


SHARE











વાંકાનેરમાં બ્રહ્માકુમારી દ્વારા શિવરાત્રી નિમિતે બર્ફાની બાબાનું આયોજન કરાયું

વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં જ્ઞાનગંગા ખાતે બ્રહ્માકુમારી દ્વારા બર્ફાની બાબા અમરનાથના દર્શનનું શિવરાત્રી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં વાંકાનેર શહેર વિસ્તારમાંથી ઘણા બધા ભક્તોએ દર્શનનો લાભ લીધેલ હતો. અને બ્રહ્માકુમારીના બહેનોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧ થી દર વર્ષે શિવરાત્રીના દિવસે ત્યાં બર્ફાની બાબા અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયના બી.કે. શૈલા દીદી, સારિકા દીદી તથા વિધાલયમાં આવતાં સર્વ ભાઈ બહેનો દ્વારા શિવરાત્રીના દિવસે વિશેષ દર્શનનું આયોજન કરાયું હતું અને ત્યારે સ્વર્ણિમ ભારત શોપિંગ મોલ, જલધારા, શિવ શંકરની ઝાંખી, ત્રિવેણી સંગમ મહાકુંભ, મહાકાલ, અમરનાથ મહાદેવ તથા પ્રોજેક્ટર શો નું આયોજન કર્યું હતું






Latest News