મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઘરમાં એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના વાવડી રોડે ઘરમાં એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે લાવ્યો હતો અને સારવાર દરમિયાન તેનુ મોત નીપજયું હતું જેથી કરીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા અંબારામભાઈ બાબુભાઇ રાઠોડ (ઉંમર ૩૫) એ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેઓને ગંભીર અસર થતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં લઇને આવ્યા હતા જોકે સારવાર કારગત નીવડે ત્યારે પહેલા જ તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી માટે અંબારામભાઈ રાઠોડના આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા 

મોરબીના પાડાપુલ નીચે નદીના પટમાં રહેતા ભગવાનભાઈ રામાભાઇ મારવાડી નામના ૨૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સારવારમાં સિવિલે લઇ જવાયો હતો. બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ તેને તેના ભાઈના સાળાએ કોઈ બાબતની વાતચીત દરમિયાન થયેલ બોલાચાલી બાદ માર માર્યો હતો જેથી તેને સારવાર માટે લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર એ.જે. ભાદરકા તથા સ્ટાફે શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ નજીકથી પસાર થતા ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૮૪૫૦ અને તેના ચાલક સોહીલ પ્રકાશ રાઠોડ રહે.બજાણા પાટડી સુરેન્દ્રનગરને અટકાવીને રોયલ્ટી પાસ-પરમીટ માંગ્યા હતા જે ન હોવાને લીધે રૂા.૧૦ લાખની કિંમતનું ડમ્પર જપ્ત કરીને હાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News