મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર રોડને વહેલી તકે સારા બનાવવાની સામાજિક કાર્યકરોએ કરી માંગ


SHARE











મોરબીના ભંગાર રોડને વહેલી તકે સારા બનાવવાની સામાજિક કાર્યકરોએ કરી માંગ

મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં રોડ રસ્તા ભંગાર હાલતમાં છે જેથી લોકો હેરાન થઈ રહ્યા છે જેથી કરીને મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા દ્વારા કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યને રજુઆત કરીને વહેલી તકે રોડ સારા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યને રજુઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં દબરબાર ગઢથી નહેરૂ ગેઇટ ચોકમાં હવે લારીઓ પણ નથી તો શું રોડ થશે ? અને થોડા સમય પહેલા ધારાસભ્ય નહેરુગેઇટના ચોકમાં બોલ્યા હતા કે, “દરબારગઢ થી નેહરૂ ગેઇટ વચ્ચેનો રોડ ૩ મહિનામાં થઇ જશે” તો તે કામ કયારે શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં તહેવારની સિઝન આવશે ત્યારે વેપારીઓને ધંધા બંધ ન રાખવા પડે તેવુ આયોજન કરવામાં આવે તે જરૂરી છે અને ખાસ કરીને મોરબીમાં રવાપર રોડ તાજેતરમાં બનાવેલ છે તો પણ તેમાં થીગડા મારવા પડે છે જેથી આવું કામ ન કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે અને મોરબીના ખાસ કરીને ગાંધી ચોક પાસે, સરકારી હોસ્પિટલ રોડ, નગરદરવાજા રોડ, રેલ્વે સ્ટેશન રોડ વિગેરે જેવા રસ્તા ભંગાર હાલતમાં છે ત્યારે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી લોકો વતી માંગ કરી છે.






Latest News