મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર રોડને વહેલી તકે સારા બનાવવાની સામાજિક કાર્યકરોએ કરી માંગ


SHARE











મોરબીના ભંગાર રોડને વહેલી તકે સારા બનાવવાની સામાજિક કાર્યકરોએ કરી માંગ

મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં રોડ રસ્તા ભંગાર હાલતમાં છે જેથી લોકો હેરાન થઈ રહ્યા છે જેથી કરીને મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા દ્વારા કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યને રજુઆત કરીને વહેલી તકે રોડ સારા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યને રજુઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં દબરબાર ગઢથી નહેરૂ ગેઇટ ચોકમાં હવે લારીઓ પણ નથી તો શું રોડ થશે ? અને થોડા સમય પહેલા ધારાસભ્ય નહેરુગેઇટના ચોકમાં બોલ્યા હતા કે, “દરબારગઢ થી નેહરૂ ગેઇટ વચ્ચેનો રોડ ૩ મહિનામાં થઇ જશે” તો તે કામ કયારે શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં તહેવારની સિઝન આવશે ત્યારે વેપારીઓને ધંધા બંધ ન રાખવા પડે તેવુ આયોજન કરવામાં આવે તે જરૂરી છે અને ખાસ કરીને મોરબીમાં રવાપર રોડ તાજેતરમાં બનાવેલ છે તો પણ તેમાં થીગડા મારવા પડે છે જેથી આવું કામ ન કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે અને મોરબીના ખાસ કરીને ગાંધી ચોક પાસે, સરકારી હોસ્પિટલ રોડ, નગરદરવાજા રોડ, રેલ્વે સ્ટેશન રોડ વિગેરે જેવા રસ્તા ભંગાર હાલતમાં છે ત્યારે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી લોકો વતી માંગ કરી છે.






Latest News