મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી કલાનગરી હોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ટાઉન હોલ વ્યવસ્થિત કરી ચાલુ કરાવો : રામભાઇ મહેતા


SHARE











મોરબી કલાનગરી હોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ટાઉન હોલ વ્યવસ્થિત કરી ચાલુ કરાવો : રામભાઇ મહેતા

મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનતા તેમજ સ્વપનીલ ખરે જેવા પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ ઓફીસર મુકવામાં આવતા મોરબીની પ્રજાની ઘણી બધી અપેક્ષાઓ પરીપૂર્ણ થઈ શકે તેમ છે.માટે મોરબીના હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા મહા પાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને જણાવવામાં આવેલ છે કે,મોરબી એક કલાનગરી છે.અહીંયા ઘણી બધી નાટય સંસ્થાઓ કાર્યરત છે, મ્યુઝીકલ પાર્ટીઓ છે.અવાર નવાર નાના ભુલકા-બાળકોની ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવતુ હોય છે.તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે.

તેથી રાજકોટમાં જે રીતે બાલ ભવન છે.તેમા બાળકો પોતાની કલાકૃતિ રજુ કરી શકે છે.પરંતુ અહીં મોરબીમાં ટાઉન હોલ તો છે પણ ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ છે.જેની કોઈ સાર સંભાળ લેતુ નથી.માટે કલાપ્રેમીઓ વતી વિનંતી છે કે જો આ ટાઉન હોલ કે જે વર્ષોથી બંધ હાલતમાં છે.તેને ચાલુ કરવામાં આવે તો મોરબીની આમ જનતા માટે નાટક શો, મ્યુઝીક શો, તેમજ અન્ય મનોરંજન કાર્યક્રમો વિગેરેનું આયોજન કરી રજુ કરી શકાય તેમ છે.જો તેમ થાય તો આમ પ્રજાને મનોરંજનની તક મળે અને મહાનગરપાલિકને પણ ભાડાની આવક થાય અને કલાકારોને પણ પ્રોત્સાહન મળે, રોજીરોટી મળે, પ્રજાને પણ અનેકવિધ મનોરંજક કાર્યક્રમો માણવા મળે.જયાં પ્રજા અને કલાકારો અને નાના બાળકો પોતાની પ્રતિભા ઉજાગર કરી શકે તેવા હિતમાં આ રજૂઆત કરવામાં આવેલ હોય આ બાબતે યોગ્ય કરવા હિમસન આર્ટીસ્ટ ફેડરેશન વતી રામભાઇ મહેતાએ કમીશ્નરને લેખીત રજુઆત કરેલ છે.






Latest News