મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રખડતાં ઢોરની સમસ્યા દુર કરવા કોંગ્રેસના મહામંત્રીએ કરી કમિશનરને રજૂઆત


SHARE











મોરબીમાં રખડતાં ઢોરની સમસ્યા દુર કરવા કોંગ્રેસના મહામંત્રીએ કરી કમિશનરને રજૂઆત

મોરબીમાં આવેલ સોઓરડી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને જાનહાનિ થાય તેવી પણ શ્ક્યતા રહે છે જેથી કરીને આ સમસ્યામાંથી સ્થાનિક લોકોને કાયમી મુક્તિ મળે તેના મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રીએ કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી વસીમભાઈ મનસુરીએ મહાપાલિકાના કમિશનરને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબીમાં ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી પરંતુ હજુ પણ ઘણા વિસ્તારમાં આજની તારીખે રખડતા ઢોરની સમસ્યા યથાવત છે ત્યારે મોરબીના સોઓરડી વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે અને તેના બાળકો ઘરની બહાર રમતા હોય છે અને ઘણા લોકોના વાહનો પણ ઘરની બાહર હોય છે ત્યારે આ રખડતાં ઢોરના કારણે જાનહાનિ થાય કે પછી કોઈ માલ મિકલતને નુકશાન થાય તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મોરબીમાં ઘણી દુર્ઘટના બનેલ છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે રખડતા ઢોર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News