વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રખડતાં ઢોરની સમસ્યા દુર કરવા કોંગ્રેસના મહામંત્રીએ કરી કમિશનરને રજૂઆત


SHARE











મોરબીમાં રખડતાં ઢોરની સમસ્યા દુર કરવા કોંગ્રેસના મહામંત્રીએ કરી કમિશનરને રજૂઆત

મોરબીમાં આવેલ સોઓરડી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને જાનહાનિ થાય તેવી પણ શ્ક્યતા રહે છે જેથી કરીને આ સમસ્યામાંથી સ્થાનિક લોકોને કાયમી મુક્તિ મળે તેના મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રીએ કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી વસીમભાઈ મનસુરીએ મહાપાલિકાના કમિશનરને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબીમાં ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી પરંતુ હજુ પણ ઘણા વિસ્તારમાં આજની તારીખે રખડતા ઢોરની સમસ્યા યથાવત છે ત્યારે મોરબીના સોઓરડી વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે અને તેના બાળકો ઘરની બહાર રમતા હોય છે અને ઘણા લોકોના વાહનો પણ ઘરની બાહર હોય છે ત્યારે આ રખડતાં ઢોરના કારણે જાનહાનિ થાય કે પછી કોઈ માલ મિકલતને નુકશાન થાય તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મોરબીમાં ઘણી દુર્ઘટના બનેલ છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે રખડતા ઢોર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News