મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ M.COM ની  વિધાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઇન દિવસની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજ M.COM ની  વિધાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઇન દિવસની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી


ઉત્સવોની અલગ અને અનોખી રીતે ઉજવણી કરવા માટે જાણીતી મોરબીની પી.જી.પટેલ કોલેજ M.COM ની વિધાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઇન દિવસની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત M.COM ની વિધાર્થીનીઓ અને M.COM સ્ટાફ દ્વારા નવલખી બાઈપાસ પાસે અને પરશુરામધામ પાસે આવેલી ઝુપડપટ્ટીના બાળકોને ભરપેટ નાસ્તો કરાવીને તેમના ચહેરા ઉપર સ્મિત લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે આજનું યુવાધન જયારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધણું અનુકરણ તરફ વળ્યું છે.ત્યારે  પી.જી.પટેલ કોલેજ M.COM ની  વિધાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઇન દિવસની વાત્સલ્ય દિવસ તરીકે અર્થપૂર્ણ  ઉજવણી આજના યુવાધનને કઈક અલગ જ રાહ ચીંધે છે.આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તેમજ કોલેજ સ્ટાફે આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News