વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં આએલ સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવામાં આવતું નથી જેથી કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરીને સરકારી જમીનોને દબાણ મુક્ત કરવાની ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી દ્વારા માંગ કરવામાં આવેલ છે.

ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબીને કોર્પોરેશન જાહેર કર્યાં પછી નવા કમીશનર દ્વારા જુદા જુદા રોડ પર થયેલા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે સારી બાબત છે અને ખુબ જ સરાહનીય કામ કરી રહ્યા છે. જો કે, અમુક બાંધકામોને બાકાત રાખવામાં આવે છે. જેથી લોકોમાં કમિશનરના હાથ ત્યાં સુધી કેમ પહોચતા નથી તે ચર્ચાઇ રહ્યું છે.


વધુમાં કહ્યું હતું કે, મોરબીમાં ઘણી જગ્યાએ સરકરી જમીનો પર પણ ગેરકાયદે બાંધકામો થયેલ છે. જેવા કે સિંચાઈ ખાતાની જમીન ઉપર, માર્ગ અને મકાન (PWD) સ્ટેટ અને પંચાયત ખાતાની જમીન ઉપર, નેશનલ હાઇવેની જમીન ઉપર, રેવેન્યુ ખાતાની  જમીન ઉપર જો કે તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ? શું આ દબાણો સબંધિત વિભાગના અધિકારીઓને દબાણ દેખાતું નથી તેવો સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાતમાં ઘણી જગ્યોઓએ લેન્ડ ગ્રેબિંગના કેસો થતા હોય છે. પરંતુ આવા લોકો સામે લેન્ડ ગ્રેબિંગના કેસો શા માટે નથી થતા ? તે પણ તપાસનો વિષય છે. અને સરકારી જમીનો ઉપર કરવામાં આવેલ બાંધકામને વહેલામાં વેહલી તકે તોડી પાડવામાં આવે તેવી માંગ કરી છે.  

મોરબીમાં સરકારી જમીન પર બાંધકામ  થઇ જાય અને તેનું વેચાણ પણ થઇ જય તો પણ અધિકારીઓ અજાણ કેવી રીતે  હોય શકે ?, અમુક જગ્યાઓએ આવા બાંધકામનું વેચાણ ન થતા ભાડે આપવામાં આવેલ છે. તેવું લોકો કહી રહ્યા છે. તો આ બાબતે મોરબીના સ્થાનિક લગત દરેક અધિકારીઓને આદેશ કરીને સરકારી જમીનો ઉપર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામો તાત્કાલિક ડીમોલીશન કરીને સરકારી જમીનોને દબાણ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આવું નહી થાય તો સ્થાનિક લોકોને સાથે રાખીને ના છુટકે અંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News