મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસરિયા ગામે હનુમાનજીના મંદિરમાંથી મુકુટ-ચાંદીની માળાની ચોરી


SHARE













વાંકાનેરના લુણસરિયા ગામે હનુમાનજીના મંદિરમાંથી મુકુટ-ચાંદીની માળાની ચોરી

વાંકાનેર નજીક આવેલ લૂણસરીયા ગામે હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયગાળા દરમિયાન મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ઉપર રાખવામાં આવેલ મુકૂટ તથા ચાંદીની માળાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની ગામના સરપંચ દ્વારા વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના થઈ જવા માટે રવાના થયેલ છે અને વારંવાર મંદિરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવતું હોય ગામના લોકોમાં રોષની લાગણી છે તથા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

સામાન્ય રીતે શિયાળા દરમિયાન ચોરીની ઘટનાઓ બનતી હોય છે અને સન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠતી હોય છે તેમ છતાં પણ તસ્કરો દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર નજીક આવેલ લુણસરિયા ગામે હનુમાનજી મંદિરમાં ગતરાત્રિના બેથી અઢી વાગ્યાના અરસા દરમિયાન મોઢા ઉપર બુકાની બાંધેલ એક તસ્કર પ્રવેશ કરે છે અને ત્યારબાદ હનુમાનજીની મૂર્તિ ઉપર રાખવામાં આવેલ મુકૂટ તથા ચાંદીની માળાની ચોરી કરે છે અને આ શખ્સ મંદિરમાં આવતો હોય અને આભૂષણ લઈને ભાગતો હોય તે પ્રકારનું સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેથી આ ઘટના અંગેની જાણ ગામના સરપંચ દ્વારા વાંકાનેર પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની જધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ઉલ્લેખનીય છે કે, ગત સાતમા મહિનામાં આ જ મંદિરની અંદર તસ્કર દ્વારા ચોરી કરવામાં આવી હતી અને ત્યારે પણ ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, તસ્કર પકડાયેલ નથી અને વધુ એક વખત આ જ મંદિરમાં ચોરીની ઘટના બની છે જેથી કરીને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.






Latest News