ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના જારીયા પરિવારના આંગણે સોમવારે કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીરનો સંતવાણી કાર્યક્રમ


SHARE











મોરબીના જારીયા પરિવારના આંગણે સોમવારે કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીરનો સંતવાણી કાર્યક્રમ

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ મગનભાઈ જારીયાના પત્ની સ્વ.પૂરીબેન લાખાભાઈ જારીયાનું ગત તા.૨૪-૧  ના રોજ અવસાન થયેલ હોય તે નિમિત્તે તેઓની ઉત્તરક્રિયા પ્રસંગે તા.૩-૨ ને સોમવારના રોજ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબીના જારીયા પરિવારના આંગણે આગામી તા.૩-૨-૨૫ ને સોમવારના રોજ ઉત્તરક્રિયા નિમિત્તે આ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.સંતવાણીના આ કાર્યક્રમમાં લોકગાયક કિર્તીદાનભાઈ ગઢવી તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ઉપસ્થિત રહેશે.તા.૩ ને સોમવારે રાત્રિના નવ કલાકે મોરબીના એવન્યુ પાર્ક રવાપર રોડ ખાતે આવેલ લાખાભાઈ જારીયાના નિવાસસ્થાન ખાતે આ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જારીયા પરિવારના લાખાભાઈ જારીયા, રાજેશભાઈ જારીયા, રમેશભાઈ જારીયા, દિનેશભાઈ જારીયા, કાનજીભાઈ જારીયા, અશ્વિનભાઈ જારીયા તથા ભુપતભાઈ જારીયા દ્વારા આ સંતવાણીના કાર્યક્રમનો લાભ લેવા મોરબીવાસીઓને જાહેર અપીલ કરાઇ છે.






Latest News