મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળામાં નોંધાયેલા સભ્યો માટે જાની પરિવાર દ્વારા પ્રીતિ ભોજનનું આયોજન


SHARE











મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળામાં નોંધાયેલા સભ્યો માટે જાની પરિવાર દ્વારા પ્રીતિ ભોજનનું આયોજન

મોરબીમાં સ્વ.શ્રી દાદા ધનેશ્વર જાની પરિવાર દ્વારા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા ખાતે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જ્ઞાતિજનોને સમયસર પાસ મેળવી લેવા માટે આયોજકોએ જાણ કરેલ છે.

મોરબીમાં રામઘાટ પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા ખાતે સમયાંતરે દાતાઓના સહકારથી પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે સ્વ. શ્રી દાદા ધનેશ્વર જાની પરિવાર દ્વારા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના નોંધાયેલ સભ્યો માટે સમૂહ પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 9/2/25 ને રવિવારે ભોજન સમારોહ યોજાશે ત્યાર પહેલા વ્યવસ્થાના ભાગ રૂપે નિઃશુલ્ક ભોજન પાસનું વિતરણ તા. 27/1 થી 6/2 સુધી કરવામાં આવશે જેથી કરીને તે પાસ મેળવી લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને આ પાસ સવારે 10થી 12 અને સાંજે 4થી 6 દરમ્યાન  ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા વાંકાનેર દરવાજા ખાતેથી લેવાના રહેશે.






Latest News