મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

ટંકારાના નાના જડેશ્વર મંદિરેથી ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગરથી શોધી કાઢ્યો


SHARE











ટંકારાના નાના જડેશ્વર મંદિરેથી ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગરથી શોધી કાઢ્યો

ટંકારા તાલુકામાં આવેલ નાના જડેશ્વર મંદિર ખાતેથી બે વર્ષ પહેલા એક વ્યક્તિ ગુમ થયેલ હતી જેથી કરીને તા. 20/2/23ના રોજ જામકંડોરણાના કાંતિભાઈ કરશનભાઈ અઘેડાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં તેના મોટાભાઇ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડા (57) ટંકારા તાલુકાનાં નાના જડેશ્વર મંદિરે સેવા કાર્યમાં આવ્યા હતા અને 9/1/23 ના રોજ કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા છે. તેઓ સુરેન્દ્રનગર ખાતે હોવાની ખાનગી હકીકત મળી હતી જેના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના સાહિદભાઈ સીદીકી, બીપીનકુમાર શેરશીયા, સોયબઅહેમદ અજમાત્રા વગેરે સુરેન્દ્રનગર ખાતે ગયા હતા અને રમેશભાઈ અઘેડાને સુરેન્દ્રનગર અનુબંધ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ટંકારા લઈ આવીને તેના નાનાભાઇ કાંતિભાઈ અઘેડાને સોંપી દેવામાં આવેલ છે.






Latest News