ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ઉપર જઈ રહેલ ચાર પૈકી બાપ-દીકરીનું મોત


SHARE







વાંકાનેર નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ઉપર જઈ રહેલ ચાર પૈકી બાપ-દીકરીનું મોત

મોરબી વાંકાનેર ઉપર હસનપર બ્રિજ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક ઉપર જઈ રહેલા દંપતી અને તે બે દીકરીને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીની પાંચ વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું છે અને માતા તેમજ એક બાળકી હાલમાં સારવાર હેઠળ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં રતિદેવરી ગામે રહેતા મયુરભાઈ રમેશભાઈ પરબતાણી (24) તેના બાઇક નંબર જીજે 12 બીકે 8195 ઉપર તેના પત્ની ભાવુબેન મયુરભાઈ (23), દીકરી પ્રીતિ પરબતાણી (5) અને હેમાંશી (1) ને બેસાડીને હસનપર બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇક અને ટ્રક નંબર જીજે 36 વી 2233 વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલ દંપતી અને તેની બંને દીકરીઓને ઇજાઓ થયેલ હતી જેમાંથી પ્રીતિ પરબતાણીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, ઇજા પામેલ હાલતમાં મયુરભાઈ અને તેની પત્ની ભાવુબેન તેમજ દીકરી હેમાંશીને સારવાર માટે 108 મારફતે લઈ ગયા હતા અને મયુરભાઈ તેમજ તેના પત્નીને વધુ ગંભીર ઇજા હોવાના કારણે તેઓને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન મયુરભાઈનું મોત નીપજયું છે જેની વાંકાનેટ સિટી પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના આ બનાવમાં એક જ પરિવારના બે સભ્યોના મોત નિપજતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






Latest News