મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના અધિકારીએ ભાજપના આગેવાનોની હાજરીમાં કરેલ ખાતમહુર્તને લઈને આમ આદમી પાર્ટીએ માંગ્યા જવાબ


SHARE







મોરબી મહાપાલિકાના અધિકારીએ ભાજપના આગેવાનોની હાજરીમાં કરેલ ખાતમહુર્તને લઈને આમ આદમી પાર્ટીએ માંગ્યા જવાબ

હમણાં જ અસ્તિત્વમાં આવેલી મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદાર બાગને અંદાજે એક કરોડના ખર્ચે નવીનીકરણ થવા જઈ રહ્યું છે જે સારી વાત છે જો કે, 30 વર્ષથી ભાજપનાં ધારાસભ્ય હોય અને મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું છતાં મોરબીમાં સારાં બાગ બગીચા કે સારી સુવિધાઓ વાળું પર્યટન સ્થળ નથી. જે મોરબી માટે દુખદ બાબત છે.

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે જ નવાં આવેલા કમીશ્નર દ્વારા મોરબી સરદાર બાગના નવીનીકરણની જાહેરાત કરીને ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે ત્યારે ખાતમુહુર્ત સમયે પાલિકાને સુપરસી કરવામાં આવી હતી તેના જનપ્રતિનિધિઓ અને ભાજપનાં હોદ્દેદારોને સ્ટેજ આપવામાં આવ્યું હતું જેથી કરીને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલે તંત્રને અનેક સવાલો કર્યા છે. જેમાં શું આ સરદાર બાગનું નવીનીકરણ કરવા માટે ભાજપ કે ભાજપ વાળા ફંડ આપશે .?, જો ભાજપ વાળા ફંડ આપશે તો એમનાં પુરાવા પ્રજા સમક્ષ રજૂ કરો. ?, જો ભાજપ કે તેનાં હોદ્દેદારો ફંડ ન આપેલ હોય તો તેમને ખાતમુહૂર્ત સમયે સ્ટેજ પર કેમ બેસાડવામાં આવ્યા. ?, જો આ પ્રસંગ રાજકીય પ્રોગ્રામ હોય તો સરકારી કમીશ્નર અને બીજા સરકારી અધિકારીઓ ત્યાં કેમ હાજર હતા.?, જો ભાજપના હોદ્દેદારો રાજકીય આગેવાન તરીકે આવ્યા હતા તો આમ આદમી પાર્ટી અને બીજા પક્ષોના હોદ્દેદારોને આમંત્રણ કેમ આપવામાં આવ્યું ન હતું.? શું મોરબીમાં કમીશ્નર એક ભાજપની કઠપુતળી તરીકે કામ કરશે ? આવાં અનેક સવાલો તંત્રને પુછવામાં આવ્યાં હતાં.






Latest News