ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કારના ફોલ્ટ બાબતે ગ્રાહકને લાખો રૂપિયાની રકમ વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE











મોરબીમાં કારના ફોલ્ટ બાબતે ગ્રાહકને લાખો રૂપિયાની રકમ વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી બે ગાડીમાં કંપની ફોલ્ટ હોઈ રૂા.૨૪,૯૨,૬૮૦ અને ૧૮,૧૯,૫૪૩ તા.૨૮-૬-૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે અને ૩૫,૦૦૦ તેમજ ૨૫,૦૦૦ અન્ય ખર્ચે સાથે એમજી મોટરસ ઇન્ડીયા પ્રા.લી ને ચુકવવાનો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે.

કેસની વિગત એવી છે કે મોરબીના વતની અનવરભાઈ અલારખાભાઈ કાસમાણીએ એમજી મોટર ઈન્ડીયા પ્રા.લી એમ.જી. મોટર ઈન્ડીયા જેની ડીલરશિપ જય ગણેશ ઓટો કાર પ્રા.લી રાજકોટ પાસે છે તેમની પાસેથી એમ.જી. હેકટર અને બીજી કાર M.G ZSEV ઇલેકટ્રીક જેની કિંમત ૨૪,૯૨,૬૮૦ અને ૧૮,૧૯,૫૪૩ છે બંન્ને કારમાં કંપની મીસ્ટીક હતી. ગ્રાહકે વારંવાર કંપની તથા ડીલરને જાણ કરેલ પરંતુ દાદ આપેલ નહી એક કારને સુરતથી અમદાવાદ આવતાં બ્રેક ફેઇલ થઇ ગઈ અને બીજી કારને રાજકોટ રતનપર પાસે બ્રેક ફેઈલ થતાં બીજી કાર સાથે ટકરાઇ ગઇ કાર આપતી વખતે ગ્રાહકને કંપનીએ કહેલ કે પાંચ વર્ષની ગેરંટી છે. પરંતુ કંપની ફોલ્ટ હોઈ તેની સેવામાં ખામી જણાતા ગ્રાહકે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ કોર્ટ અનવરભાઈને રૂા.૨૪,૯૨,૬૮૦ અને ૧૮,૧૯,૫૪૩ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે તા.૨૮-૬-૨૩ થી તેમજ ૩૫,૦૦૦ અને ૨૫,૦૦૦ ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે.કંપનીની મીસ્ટીક હોય તો કાં તો ગાડી બદલી આપવી જોઇએ અગર વ્યાજ સહીત રકમ પરત આપવી જોઇએ.ગ્રાહક અદાલતે ગ્રાહકને વ્યાજ સહીત બન્ને ગાડી વ્યાજ સહીત પરત અપાવી છે.કોઈપણ ગ્રાહકે વાહન કે વસ્તુ લેતા પહેલા ગેરેન્ટી અગર જે ટર્મસ અને કન્ડીશન જોઈ લેવી જરૂરી છે કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો આ સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News