મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર-પંચાસર ગામની સીમમાં દીપડો દેખાયો: રાતે કોઈને વાડીએ બહાર ન સુવા ફોરેસ્ટ અધિકારીની સૂચના


SHARE







મોરબીના રાજપર-પંચાસર ગામની સીમમાં દીપડો દેખાયો: રાતે કોઈને વાડીએ બહાર ન સુવા ફોરેસ્ટ અધિકારીની સૂચના

સામાન્ય રીતે વાંકાનેરની આજુ બાજુમાં દીપડા જોવા મળે છે જો કે, શુક્રવારે રાતે મોરબીના રાજપર અને પંચાસર ગામની સીમમાં દીપડો દેખાયો હતો જેથી કરીને લોકોમાં ભયનો માહોલ છે અને આ અંગેની રાજપર ગામના સરપંચે વનવિભાગને જાણ કરતા અધિકારી સહિતની ટિમ ત્યાં આવી હતી અને દીપડાના પંજાના નિશાના જોવા મળે છે જેથી કરીને વાડીએ રહેતા શ્રમિકોને રાતે બહાર ન સુવા માટે ફોરેસ્ટ અધિકારી સૂચના આપેલ છે.

મોરબીના રાજપર ગામ નજીક પંચાસર ગામ તરફના સિમ વિસ્તારમાં શુક્રવારની રાતે દીપડો જોવા મળે છે અને તેનો એક નાનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં સામે આવેલ હતો તેમજ રાજપર ગામના સરપંચ ભરતભાઇ મારવાણીયા દ્વારા આ આંગેની વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને દીપડો સિમ વિસ્તારમાં હોવાની વાત વાયુ વેગે ફેલાઈ જતાં જિલ્લા પંચાયત સદસ્ય નયન અઘારા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય કોટડીયા સહિતના ગામના લોકો એકત્રિત થઈ ગયા હતા અને ફોરેસ્ટ વિભાગના અધિકારી જયદીપસિંહ જાડેજા અને તેની ટીમ રાજપર ગામે રાતે જ પહોચી હતી અને જે પગલાના નિશાના જોવા મળેલ હતા તે દીપડાના પગલાના નિશાન હોવાનું તેમણે ગામના લોકોને જણાવ્યુ હતું. જો કે, આ દીપડાએ રાત દરમ્યાન કોઈ જગ્યાએ મરણ કર્યું હોવાનું સામે આવ્યું નથી જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારી જયદીપસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વાડી વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોએ ખાસ કરીન રાતે બહાર સૂવું નહિ અને તેમના સંતાનને કોઈ જગ્યાએ એકલા રાખવા નહીં અને જો નોનવેજ ખાતા હોય તો હાડકાં અને અવશેષોને તેના નિવાસ પાસે ન નાખવા માટેની અપીલ કરેલ છે અને દીપડાનું લોકેશન મેળવીને તેને પકડવા માટે પાંજરું મૂકવામાં આવશે તેવું તેમણે જણાવ્યુ છે.






Latest News