મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ગુજરાતમાં ભાજપની સરકાર હતી, છે અને રહેશે, માટે કોઈ કામમાં ઉતાવળ કરવાની નહીં: ભુપેન્દ્રભાઈ પટેલ


SHARE







ગુજરાતમાં ભાજપની સરકાર હતી, છે અને રહેશે, માટે કોઈ કામમાં ઉતાવળ કરવાની નહીં: ભુપેન્દ્રભાઈ પટેલ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રજત તુલા કરવામાં આવી હતી અને તેઓએ પોતાના ઉપરથી દ્રષ્ટાંત આપીને ભાજપના દરેક કાર્યકરોને કહ્યું હતું કે, હું પણ કામ કરતાં કરતાં તમારી જેમ અહી સુધી આવ્યો છું માટે જયાં છો ત્યાં કામ કરતાં રહો અને કોઈપણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી ભાજપની સરકાર આજે છે, કાલે હશે અને આગામી સમયમાં પણ રહેવાની જ છે જેથી કરીને જે કામ કરીએ તેમાં કાયમી નિકાલ થાય તેવા કામ કરવાના છે

મોરબી રાજકોટ હાઇવે ઉપર જે.પી.ફાર્મમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ, પ્રદેશ મહિલા અધ્યક્ષ દિપીકાબેન સરડવા, રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, મહામંત્રી જયુભા જાડેજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડીયા હિતના આગેવાનો, હોદેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પહેલી જ વખત મોરબી આવ્યા હોવાથી તેની મોરબી સીરામીક એસોસિએશન દ્વારા રજત તુલા કરવામાં આવી હતી અને ૧૦૦ કિલો ચાંદીથી તેમની રજત તુલા કરવામાં આવી હતી. 

ત્યાર બાદમાં ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, હું પણ કામ કરતાં કરતાં તમારી જેમ અહી સુધી આવ્યો છું માટે જયાં છો ત્યાં કામ કરતાં રહો અને કોઈ કામ ટીટ્વેન્ટીની જેમ કરવાના નહિ કેમ કે, રાજ્યમાં ભાજપની સરકાર આજે છે, કાલે હશે અને આગામી સમયમાં પણ રહેવાની જ છે જેથી કરીને જે કામ કરીએ તેમાં કાયમી નિકાલ થાય તેવા કામ કરવાના છે કોઈપણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને આગામી સમયમાં મોરબીના કાર્યકરોને મળવા માટે મોરબીનો સ્પેશ્યલ કાર્યક્ર્મ કરવાની મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી હતી અને દરેક કાર્યકરોને તેના કામ માટે ગાંધીનગરના દરવાજા ખુલ્લા છે તેવું આહ્વાન કર્યું હતું અને જે કામ લઈને આવશો તે કરવામાં આવશે તેવી ખાતરી તેઓએ સ્નેહમિલનના કાર્યક્ર્મમાં આવેલા તમામ લોકોને આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ જિલ્લા, તાલુકા, યુવા અને મહિલા ભાજપની ટિમ દ્વારા કામ કરવામાં આવ્યું હતું 






Latest News