​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

​​​​​​​હળવદના સુખપરમાં મકાનમાંથી તસ્કરો ૬ તોલા વજનના દાગીના ચોરી ગયા


SHARE













હળવદના સુખપરમાં મકાનમાંથી તસ્કરો ૬ તોલા વજનના દાગીના ચોરી ગયા

હરેશભાઈ પરમાર દ્વારા, હળવદ શહેરમાં બે દિવસ પહેલા મોબાઇલની દુકાનમાં તસ્કરોએ નિશાન બનાવી હતી ત્યારે બુધવારે રાત્રે હળવદ તાલુકાના સુખપર ગામે રહેણાંક મકાનમાં  મકાન માલિક સુતા હતા  ત્યારે  લોખંડની  બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કરીને સોના ચાંદીના ૬ તોલાના દાગીના ચોરી ગયા છે જેથી મકાન માલિકે હળવદ પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે
હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા બનેસીગભાઈ નરસિંહભાઈ અઘારાના મકાનમાં મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડીને મકાનના રૂમમાં પ્રવેશ કરીને કબાટ તોડીને કબાટમાં રાખેલ સોનો ચાંદીના દાગીનાની ચોરી કરીને નાસી છૂટયા હતા આ અંગે મકાન માલિક બનેશીગભાઈ અઘારાએ જણાવ્યુ છે કે, મારા મકાનમાં  સોનાનો હાર, કાનની બુટ્ટી, વીંટીઓ, ઓમ, હાર મળીને ૬ તોલો સોનું અને ૨૫૦ ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરીને કોઈ અજાણ્યા શખ્સોઓ નાસી છૂટયા છે હાલમાં પોલીસે ફરિયાદ લેવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News