મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાનને માર માર્યો


SHARE











મોરબીમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાનને માર માર્યો

મોરબીના સામાકાંઠે રહેતો યુવાન કાલિકા પ્લોટ વિસ્તારમાં તેના મિત્રને ત્યાં ગયો હતો ત્યાંથી તેને લઈ જઈને માર મારવામાં આવ્યો હતો.પૈસાની લેતી દેતી મુદ્દે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મોરબી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર નજીકના યોગીનગર વિસ્તારમાં રહેતા રણજીતસિંહ બળવંતસિંહ વાઘેલા(૪૫) નામનો યુવાન મોરબીના રવાપર રોડ કાલિકા પ્લોટ વિસ્તારમાં તેના મિત્ર અબુભાઈ માજોઠીના ઘરે નજીક ગયો હતો ત્યારે ત્યાંથી તેને મેઘપર ઝાલા ગામે લઇ જઇને પૈસાની લેતીદેતી મુદ્દે માર મારવામાં આવ્યો હતો.પ્રહલાદસિંહ જેઠવા રહે.છાયા પોરબંદર ભગીરથસિંહ જેઠવા રહે.છાયા પોરબંદર અને અજયરાજસિંહ ઝાલા રહે.મેઘપર ઝાલા ટંકારા વાળાઓ દ્વારા પૈસા મુદ્દે તેને લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાનું ભોગ બનનારે પોીસ નિવેદનમાં જણાવલ છે. આ બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એસ.સોંદરવા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

હળવદના રણમલપુર ગામે રાકેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારનો મિતેશ રાજુભાઈ તળવી નામનો ૧૩ વર્ષનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થતાં ડાબા હાથના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ત્રીકમજીભાઈ ગોઠી નામના ૫૨ વર્ષના આધેડ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે વાંકાનેર હાઈવે શક્તિ ચેમ્બર ખાતે તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી જમણા હાથના ભાગે ઈજા પામેલ હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઇ જવાયા હતા.જેને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબી વીસીપરામાં રહેતા હસીનાબેન રફિકભાઈ ખુરેશી (ઉંમર ૫૨) નામના મહિલાને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના ઘરે તેમના પુત્રવધુએ ગરમ શાક માથે નાંખતા તેઓ દાજી ગયા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના આર.એન.ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેમજ રાજપર ગામે રહેતા હંસાબેન ભાયાભાઈ મોકરીયા નામના ૪૬ વર્ષીય મહિલા કોઈ કારણોસર ટોયલેટ ક્લીનર પી જતા તેઓને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાઈ હતી.જ્યારે મોરબી તાલુકાના નાગલપર ગામે રહેતા દેવજીભાઈ જેસીંગભાઇ મકવાણા નામના ૬૫ વર્ષીય આધેડ ગામ નજીકથી બાઈકમાં જતા હતા ત્યાં તેમનું બાઈક સ્લીપ થવાના બનેલ બનાવમાં ઈજા પામતા તેમને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.






Latest News