મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃત શ્લોક પઠન સંસ્કાર સંસ્કૃતિ જતન કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં સંસ્કૃત શ્લોક પઠન સંસ્કાર સંસ્કૃતિ જતન કાર્યક્રમ યોજાયો

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા બ્રહ્મ બાળકોની તેજસ્વિતાને પ્રોત્સાહિત કરવા તથા બ્રહ્મ સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી સંસ્કૃત શ્લોક પઠન સંસ્કાર સંસ્કૃતિ જતન કાર્યક્રમ યોજાયો જેમાં ૧૨ વર્ષથી નાની વયના ૫૧ બાળકોના શ્લોકપઠનથી વાતાવરણમાં દિવ્યતા ફેલાઈ હતી. લયકારી સાથેના અને સ્પષ્ટ ઉચ્ચારણો સાથેના બાળકોના શ્લોકપઠને ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ અવસરે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ડો.ચિન્મયભાઈ ત્રિવેદી, એન.એન.ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, અતુલભાઈ જોશી, શાશ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યા, નિમેષભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ મહેતા, મુકેશભાઈ જાની, ધ્વનીત દવે સહિતના બ્રહ્મ અગ્રણીઓ તથા સમાજના બંધુ ભગીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ૧૩ વર્ષના તીર્થ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, મહામંત્રી અમુલભાઈ જોશી, કેયુરભાઈ પંડ્યા, કમલભાઈ દવે, મીલેશભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ શુક્લ, આર્યનભાઈ ત્રિવેદી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News