મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ચમનપરમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપ્યુ


SHARE











મોરબીના ચમનપરમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપ્યુ

મોરબીના ચમનપર ગામે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ચમનપર નિવાસી જગદીશભાઇ ચારોલાની દીકરી મિસ્ટીના જન્મદિવસ પ્રસંગે ઉપસ્થિત રહી દીકરીઓના જન્મને વધાવી હતી.આ તકે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, ચમનપર મોરબી જિલ્લાનું એક આદર્શ ગામ છે જ્યાં આજદિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ નથી. ઉપરાંત આ ગામનું પુસ્તકાલય અનેક યુવક-યુવતીઓ અને વાંચન રસીકોને પ્રોત્સાહન પુરુ પાડી રહ્યું છે.વધુમાં મંત્રીએ એમ પણ ઉમેર્યું કે, દીકરીઓને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે નાનામાં નાના દીકરી જન્મ દિવસ જેવા પ્રસંગે પણ હાજરી આપી છે. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગામમાં આવેલ હનુમાનજી મંદિરે દર્શન કરી અને ગામના દિકરા તરીકે વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા.આ ઉપરાંત ખેવરીયા ગામના અગ્રણી નારણભાઈ રબારીની સાથે મેલડી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.






Latest News