મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વડીલો દ્વારા મળેલા આશીર્વાદ-સન્માનથી પદ અને પ્રતિષ્ઠા ટકાવી રાખવા નવી ઊર્જા પ્રાપ્ત થઇ : મંત્રી મેરજા


SHARE











મોરબીમાં મેરજા પરિવારના પાટોત્સવ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું વિશેષ બહુમાન કરાયું

 

વડીલો દ્વારા મળેલા આશીર્વાદ-સન્માનથી પદ અને પ્રતિષ્ઠા ટકાવી રાખવા નવી ઊર્જા પ્રાપ્ત થઇ : મંત્રી મેરજા

મોરબીના નારણકા ગામે મેરજા પરિવારના કૂળદેવીના ૧૭માં પાટોત્સવ પ્રસંગે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા અને રમેશભાઇ મેરજા (આઇએએસ)નું વિશેષ બહુમાન કરાયું હતું.આ પ્રંસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મેરજા પરિવારના વડીલો દ્વારા મળેલા આશીર્વાદ અને સન્માનથી પદ અને પ્રતિષ્ઠા ટકાવી રાખવા નવી ઊર્જા પ્રાપ્ત થઇ છે. પરિવાર દ્વારા મળેલ સન્માનનું વિશેષ મહત્વ રહેલું છે. વધુમાં મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીવાસીઓને જલારામ જયંતી પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.નારણકા ગામે મેરજા પરિવાર દ્વારા યોજાયેલ ધાર્મિક પ્રસંગે પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ મંત્રી તથા રમેશભાઇ મેરજા (આઇ.એ.એસ)નું કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના હસ્તે મેરજા પરિવારના આગેવાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બગથળા મંદિરના મહંત દામજીભગત અને કબીર આશ્રમના મહંત સિવરામબાપુ આશીર્વાદ પાઠવ્યા હતા.

મોરબી તાલુકાના નારણકા ગામે મેરજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરે હળમતીયા, બગથળા, થોરાળા, મહેન્દ્રનગર, માનસર, નારણકા અને ચમનપર સહિતના ગામોના મેરજા પરિવારના સભ્યો દ્વારા રમેશભાઈ મેરજા આઇ.એ.એસ. બનતા તથા બ્રિજેશભાઈ મેરજાને રાજય મંત્રીમંડળમાં સ્થાન મળતાં આ બન્ને ભાઇઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જરૂરીયાતમંદ લોકો માટે સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ હીમોગ્લોબિન ચેકઅપ તથા ફી મેડીકલ ચેકઅપ, ફી દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં રાજયના માનનીય કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ તથા મોરબી પ્રભારી તેમજ પશુપાલન અને ગૌસંવર્ધન રાજયકક્ષાના મંત્રી દેવાભાઇ માલમ, રાજયકક્ષાના પૂર્વ પંચાયત મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, અગ્રણી જિજ્ઞેશભાઇ કૈલા, જયુભા જાડેજા, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, એપીએમસીના ચેરમેન ભવાનભાઇ ભાગીયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુરેશભાઇ દેસાઇ, મોરબી તાલુકા ભાજપા પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બી.પી.જોષી, મામલતદાર ડી.જે. જાડેજા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને મેરજા પરિવારના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના નારણકા ગામે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મેરજા પરિવારના કૂળદેવીના ૧૭માં પાટોત્સવ પ્રસંગે હાજર રહ્યા હતા. ગત બુધવારના રોજ નારણકા ગામે મંત્રીશ્રીએ પરિવાર સાથે કૂળદેવીશ્રી બહુચર માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રાત્રે કૂળદેવીશ્રી બહુચર માતાજીની શોભાયાત્રામાં મંત્રીશ્રીએ ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં મેરજા પરિવારના પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ શતાયુ વટાવી ચુકેલા શાંતાબાના આશીર્વાદ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લીધા હતા.શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ પોતાના માદરે વતન ચમનપર ગામે શતાયુ વટાવી ચુકેલા શાંતાબાના આશીર્વાદ પણ મેળવ્યા હતા.






Latest News